આજે તમને દેશભરમાં પ્રસિદ્ધ થયેલા મંદિર વિષે જ નહિ પરંતુ ત્યાં બિરાજમાન સાક્ષાત માતાજીના ચમત્કારી વિષે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જે જાણી માતા પ્રત્યનો તમારો વિશ્વાસ વધી જશે, કારણ કે માતાના દરબારમાં આવેલા કોઈ વ્યક્તિ ખાલી હાથે પાછો ગયો નથી, માં એ સૌના કામ પૂરા કર્યા છે.
જો કે અમે વાત કરી રહ્યા છીએ કચ્છ જિલ્લામાં આવેલા કબરાઉ ખાતે મોગલ ધામ વિષે, કે જ્યાં મોગલ માતાનું મંદિર આવેલુ છે. તમે અવારનવાર સાંભળ્યું તો હશે કે મોગલ માતાએ તેમના ભક્તોને અનેક ચમત્કારો બતાવ્યા છે જયારે ભક્તોના દુઃખ પલવારમાં દૂર પણ થયા છે. એટલે કે જે લોકો માતા પર શ્રદ્ધા રાખે છે તેમના પર કોઈ મુશ્કેલી આવવા દેતી નથી.
કહેવાય છે કે તમે કોઈ મુશ્કેલીમાં છો અથવા તમે કોઈ સમસ્યાઓથી વધારે પરેશાન છો તો માત્ર બે મિનિટ સાચા મનથી માતાજીને યાદ કરો અને પ્રાથના કરો કે તેમના દુઃખનો અંત આવે, જયારે જોત જોતામાં બધા દુખડા તરત જ માતાજી હરી લે છે. જો કે આજે તમને આવા જ એક ચમત્કાર વિષે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ.
કહેવાય છે કે એક વડીલને ઘણા સમયથી શરીરમાં સ્નાયુઓનો દુખાવો થઇ રહ્યો હતો, જેમાં અનેકવાર ડોક્ટરની સલાહ પણ લીધી હતી પરંતુ તેનો કોઈ જ ચોક્કસ ઉકેલ મળતો ન હતો. જો કે તેમની આ લથડી રહેલી તબિયતને લઈને ઘરના લોકો પણ ચિંતામાં હતા. આખરે એક દિવસે માં મોગલ ની યાદ આવી.
તેઓ જેવા મોગલ માતાને યાદ કરીને માનતા રાખે છે તરત જ તેમની શરીરની અંદર એકાએક અચાનક દુખાવો ધીમે ધીમે બંધ થવા લાગે છે. જયારે તેઓ સંપૂર્ણ રીતે દુખાવાની ફરિયાદમાંથી મુક્ત થાય છે. જો કે રાખેલી માનતા પોરી કરવા કબરાઉધામ આવી પહોંચે છે અને માતાજીના દર્શન કરીને તેઓ ગાદી પર બિરાજમાન થયેલા મણીધર બાપુ જોડે મુલાકાત કરે છે અને પોતાની વેદના અને માતા ચમત્કાર વિષે બધાને જણાવે છે, બોલો જય માં મોગલ