ડોક્ટરે પણ હાથ કરી લીધા હતા ઊંચા અને મોગલ માતાની માનતા રાખી અને થયો એવો ચમત્કાર કે……

0

માં મોગલ તારો જય જય કાર માં મોગલના પરચા અપરંપાર છે. મા મોગલ નું નામ લેવાથી ભવ ભવના દુઃખ ટળી જાય છે જે કોઈ માના શરણે આવે છે મા તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.

આવો જ એક પ્રસંગ અમદાવાદ શહેરનો છે જ્યાં એક યુવાન અકસ્માતમાં ઘાયલ થયો હતો. અને આ યુવાન ચાલી પણ શકે તેમ ન હતો માટે તેને સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરે પણ યુવાનની પરિસ્થિતિ જોઈને પરિવારને કહ્યું હતું કે યુવાન વધુમાં વધુ ચારથી પાંચ દિવસ જીવી શકશે અને આટલું જ સાંભળતા પરિવાર ભાંગી પડ્યો હતો. ત્યારે નજીકના કોઈ સંબંધીએ પરિવારને કહ્યું કે તમે પૂરી શ્રદ્ધાથી માં મોગલ ની માનતા રાખો તમારો દીકરો તૈયાર થઈ જશે.

મા મોગલ તેના આશીર્વાદ તમારા દીકરા ઉપર રાખશે. પછી તમામ પરિવારજનો પોતાના દીકરાની માનતા લઈ અને મોગલ મા પાસે આવ્યા અને ત્યાં આવી મોગલ માના દર્શન કરી અને માનતા રાખી અને થોડા જ સમય પછી મા મોગલ એ પોતાનો પરચો પરિવારને બતાવી દીધો. સારામાં સારા જે ડોક્ટરે એવું કહ્યું હતું કે આ યુવાન ચારથી પાંચ દિવસ જ જીવી શકશે.

તે જ યુવાન આજે માં મોગલ ની માનતા રાખી તૈયાર થઈ ગયો. પરિવારજનો સંબંધીઓ અને સૌને આશ્ચર્ય લાગ્યું કે આ યુવાન માત્ર બે જ દિવસમાં તૈયાર થઈ ગયો. સ્વજનોમાં ચારે કોર ખુશીનો માહોલ છવાઈ ગયો અને દીકરા સાથે પરિવાર માં મોગલના દર્શને આવ્યો ધન્યતા અનુભવી અને પોતાની માનતા પૂરી કરી માં મોગલના પરચા અપરંપાર છે મા મોગલ પોતાના શરણે આવેલા ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. દૂર દૂરથી અહીં ભક્તો માનતા લઈને આવે છે અને મા મોગલ તેમના આશીર્વાદ સદાય ભક્તો પર રાખે છે. બોલો મા મોગલ ની જય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed