વીરપુર નહિ પણ આ જગ્યાએ છે જલારામ બાપનું મંદિર, જ્યાં દર્શનાર્થીઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે

0

વીરપુર નહિ પણ આ જગ્યાએ છે જલારામ બાપનું મંદિર, જ્યાં દર્શનાર્થીઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે,ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છે અહીં અનેક પવિત્ર મંદિરો અને ધાર્મિક સ્થળ આવેલા છે.

આ સ્થાન પ્રત્યે લોકોને શ્રદ્ધા અને ભક્તિ જોડાયેલી હોય છે. આજે તમને એક આવા જ ચમત્કારિક મંદિર વિશે જણાવીએ જે કલોલમાં આવેલું છે.અહીં દર્શન કરીને ભક્ત પોતાની મનની મનોકામના વ્યક્ત કરે છે અને તે જલારામ બાપા પૂરી કરે છે.

વીરપુરની જેમ જ કલોલ નું જલારામ બાપા નું મંદિર પણ પ્રખ્યાત છે. લોકોનું કહેવું છે કે અહીં નોકરી સંબંધિત સંતાન સંબંધિત કે લગ્ન સંબંધિત માનતા હોય તો તે અચૂક પૂરી થાય છે.કલોલના ખંડોલી ગામે જલારામ બાપાનું પવિત્ર મંદિર આવેલું છે અહીં જલારામ બાપા હાજર હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે.

અહીં આવીને દર્શન કરનાર દરેક ભક્તની બધી જ ઈચ્છા પૂરી થાય છે. અત્યાર સુધીમાં અહીં લાખો ભક્તો દર્શન કરવા આવી ચૂક્યા છે.વીરપુરની જેમ જ અહીં પણ ભક્તો માટે ભોજન પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવી છે.તાજેતરમાં જ અહીં જલારામ બાપાની 223 મી જન્મ જયંતી પણ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા હતા અને પોતાની માનતાઓ પૂરી કરી હતી.વીરપુર નહિ પણ આ જગ્યાએ છે જલારામ બાપનું મંદિર, જ્યાં દર્શનાર્થીઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed