સૂર્યકુમાર યાદવે આ એકદમ દમદાર ખેલાડીને આપ્યો પોતાની સદી નો શ્રેય, કહ્યું કે તેમણે જ આપ્યો હતો ગુરુમંત્ર,ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.
બીજી મેચ ધ ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં દબદબો બનાવી રાખ્યો છે. હવે ત્રીજી મેચ જીતીને સમગ્ર સિરીઝમાં વિજય મેળવી શકે છે.
બીજી મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા હતા.સમગ્ર મેચ તરફ નજર કરીએ તો કે કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 6 વિકેટે 191 રન બનાવ્યા હતા.
જેમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રન બનાવ્યા હતા. તેણે 11 ફોર અને 7 મોટી સિક્સર ફટકારી હતી. જેના કારણે ભારતીય ટીમનો સ્કોર 191 રન સુધી પહોંચ્યો હતો. સૂર્યકુમારે આ ઘાતક ખેલાડીને સદી ફટકારવાનો શ્રેય આપ્યો છે.
સૂર્યકુમાર યાદવે મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાના ખૂબ જ વખાણ કર્યા હતા. સૂર્યકુમારે કહ્યું છે કે મારા માટે અંત સુધી બેટિંગ કરવી મહત્વપૂર્ણ હતી. હાર્દિક મને 18મી કે 19મી ઓવર સુધી બેટિંગ કરવા અને 185 રન બનાવવાનું કહેતો હતો.
16મી ઓવરના અંત પછી અમે તેને વધુ ઊંડાઈમાં લઇ જવા વિશે વાત કરી રહ્યા હતા. હાર્દિકે મને ખૂબ જ મદદ કરી હતી.સૂર્યકુમારે વધુમાં કહ્યું કે હાર્દિકના કહેવાથી મારો ઉત્સાહ વધ્યો હતો. છેલ્લી કેટલીક ઓવરો અમારા માટે મહત્વપૂર્ણ હતી. નેટ પર વારંવાર અમે એ જ વસ્તુઓની પ્રેક્ટિસ પણ કરી રહ્યા હતા. જેથી તેનો ફાયદો પણ અમને મળ્યો છે.