સ્પોર્ટ્સ

જીમ્બાબ્વે ની વિરુદ્ધ વન ડે સિરિઝમાંથી શિખર ધવનની કેપટનશીપ છીનવાઈ, ભારતને મળ્યો નવો કેપટન

જીમ્બાબ્વે ની વિરુદ્ધ વન ડે સિરિઝમાંથી શિખર ધવનની કેપટનશીપ છીનવાઈ, ભારતને મળ્યો નવો કેપટન,ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ તેમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ભારતીય ટીમે આ પ્રવાસમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું છે. આ પહેલા શિખર ધવનની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. તે પછી, રોહિત શર્માની કપ્તાનીમાં, તેઓએ વેસ્ટ ઈન્ડિઝને પાંચ મેચની T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું.

આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ સાતમા આસમાને છે. વિન્ડીઝ પ્રવાસ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા વનડે શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે.ઝિમ્બાબ્વે પ્રવાસની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. વાસ્તવમાં કેએલ રાહુલને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને હવે તે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.

નોંધનીય છે કે અગાઉ શિખર ધવનને આ પ્રવાસ માટે ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હવે બીસીસીઆઈએ કેએલ રાહુલની વાપસીની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાએ 18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે, જે હરારેમાં રમાવાની છે.

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે વનડે સીરીઝ રમવા માટે 15 ઓગસ્ટ સુધી હરારે પહોંચી શકે છે. સીરીઝની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે. ખાસ વાત એ છે કે ODI સિરીઝની તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં જ રમાશે.

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસની પ્રથમ વનડે 18 ઓગસ્ટે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમશે. શ્રેણીની બીજી મેચ 20 ઓગસ્ટે હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર રમાશે. જ્યારે શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે મેચ પણ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં જ રમાશે. તમામ મેચો બપોરે 12.45 વાગ્યાથી રમાશે.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર ODI શ્રેણી માટેની ભારતીય ટીમ નીચે મુજબ છે
શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટમાં), સંજુ સેમસન (વિકેટમાં), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રણંદ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *