કોડીનાર માં 8 વર્ષની બાળકીને ઘરે બોલાવી ને મોઢે ડૂચો ભરાવીને આચર્યું દુષ્કર્મ, તમારા મતે આ હેવાનને શું સજા થવી જોઈએ,કોડીનાર તાલુકાના નાનાએવા જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાખતી ભયંકર ઘટના બની ગઇ હતી.
માત્ર 8 વર્ષની કૂમળી વયની બાળા પર નરાધમે એવી રીતે પાશવી દુષ્કર્મ આચર્યું હતું કે તે અત્યાચાર વખતે જ મોતને ભેટી હતી. બનાવ બાદ એ નરાધમે બાળાની લાશને ગામના ઝાંપાની બહાર અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી.
બનાવને પગલે લોકોમાં આરોપી પ્રત્યે ભારે ધિક્કારની લાગણી છવાઇ ગઇ છે. બનાવને પગલે એસપી જંત્રાખડી દોડી ગયા હતા. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો,કોડીનાર તાલુકાના જાંત્રખાડી ગામના એક પરિવારમાં પતિ બહારગામ રહે છે અને પત્ની મજૂરી કરે છે.
આજે એ પરિવારની 8 વર્ષીય બાળકીની માતા રામરોટી લેવા ગઇ હતી. ત્યારે સવારે 10 વાગ્યે પાડોશીએ બાળકીને ગામમાં સેવ લેવા મોકલી હતી. રસ્તામાં શામજી ભીમા સોલંકીનું ઘર આવે છે.
આથી શામજીએ પણ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મગાવ્યા હતા. બજારમાંથી આ બધી વસ્તુ લઈ બાળકી પરત ફરતી વખતે શામજીના ઘરમાં બીડી-બાકસ દેવા ગઇ હતી. શામજી એ વખતે પોતાના ઘરમાં એકલો જ હતો.આથી શોધખોળ શરૂ થતાં થોડીવારમાં જ ખબર પડી ગઈ હતી કે તેની લાશ 66 કેવી સામે પડી છે.
જાણવા મળ્યા મુજબ, નરાધમ શામજી માચ્છીમારીનો વ્યવસાય કરે છે અને બે સંતાનોનો પિતા છે, પણ દારૂ પી ઘરમાં ધમાલ કરતો હોવાથી તેની પત્ની કેટલાક સમયથી રિસામણે છે. બનાવ અંગે ગામલોકોએ કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા પણ સાંજે જંત્રાખડી દોડી ગયા હતા અને તપાસની વિગતો મેળવી આરોપીની પૂછપરછ કરી હતી.
દરમિયાન નરાધમ શામજીને દાખલારૂપ સજા મળે એવી માગણી ઊઠી છે. આ બનાવને પગલે ગામલોકોમાં આરોપી પ્રત્યે ભારોભાર ધિક્કારની લાગણી છવાઇ ગઇ હતી. શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂમો દઇ દીધો હતો.
આથી તેના મોઢામાંથી ઊલટી બહાર ન આવી હોવાથી અને કુદરતી હાજત થઇ ગઇ હોવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હોઇ શકે એવું મનાઇ રહ્યું છે.કોડીનાર માં 8 વર્ષની બાળકીને ઘરે બોલાવી ને મોઢે ડૂચો ભરાવીને આચર્યું દુષ્કર્મ, તમારા મતે આ હેવાનને શું સજા થવી જોઈએ