મીડિયા ના સવાલ પર ભડકી ગયો હાર્દિક, કહ્યું એવું કે મીડિયા એ હોબાળો બોલાવ્યો – જુઓ અહી,પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને આજે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે.
ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની પ્રેસકોન્ફ્રેન્સ યોજાઈ હતી. જેમા રિપોર્ટરના સવાલ પર હાર્દિક પટેલ ભડક્યા હતા. સાથે જનતાનાં હિત માટે જ આંદોલન હોવાનું ગાણું ગાતાં રહ્યા હતા.
હાર્દિક પટેલને આંદોલન પર સવાલ કરતા તેઓ જનતાનાં હિત માટે જ આંદોલન હોવાનું સાત વખત બોલ્યા હતા. હાર્દિકનાં આ પ્રકારનાં વર્તનથી મીડિયાએ હોબાળો કર્યો હતો.
હાર્દિક પટેલ ના ભાજપ માં જોડતા ની સાથે જ લાલજી પટેલ લાલઘૂમ થયા ,હાર્દિક ને કહ્યા આવા શબ્દો કે જાણી ને ચોંકી જશો,કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ ધારણ કરી લેતાં એસપીજીના લાલજી પટેલ નારાજ થયા છે.
લાલજી પટેલે હાર્દિકને સ્વાર્થી કહ્યો હતો અને કહ્યું હતું કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી.હાર્દિક પટેલ ભાજપમાં જોડાતાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના પ્રમુખ લાલજી પટેલ દ્વારા ખૂલીને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે હાર્દિક રાજકીય માણસ છે, હવે સમાજનો માણસ નથી. સમાજનું કામ હતું એ એમને એમ જ છે. પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાનો અને પાટીદાર સમાજના શહીદ થયેલા યુવાનોના પરિવારોને ન્યાય અપાવવાના મુદ્દા ઠેરના ઠેર છે.લાલજી પટેલે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે અમે નક્કી કર્યું હતું કે અમારામાંથી કોઈ રાજનીતિમાં નહીં જાય.
ત્યાર બાદ હાર્દિક કૉંગ્રેસમાં ગયા, હવે ભાજપમાં આવ્યા છે અને અહીંથી પણ અન્ય પાર્ટીમાં જશે. પાટીદાર સમાજ છેતરાઈ ગયો છે. સમાજનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે.અમારી સાથે હતો ત્યારથી હાર્દિક રાજકારણની વાત કરતો હતો.