આ બે વિકેટકીપરો ખતમ કરી દેશે રિષભ પંત નું કરિયર, બંને છે એકદમ ધાસુ- જાણો અહીં

0

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં રિષભ પંત માત્ર 11 રન બનાવીને રનઆઉટ થયો હતો. રિષભ પંતના આ ખરાબ પ્રદર્શન બાદ હવે તેને 9 ફેબ્રુઆરીએ રમાનાર બીજી વનડેમાં રજા આપવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે ખરાબ પ્રદર્શનની તમામ હદો વટાવી દીધી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં રિષભ પંતનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેણે ટીમ મેનેજમેન્ટને તેના વિકલ્પ વિશે વિચારવા માટે મજબૂર કરી દીધું હતું.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં રિષભ પંત માત્ર 11 રન બનાવીને રનઆઉટ થયો હતો. રિષભ પંતના આ ખરાબ પ્રદર્શન બાદ હવે તેને 9 ફેબ્રુઆરીએ રમાનાર બીજી વનડેમાં રજા આપવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું એક મેચમાં મેચ વિનિંગ પ્રદર્શન છે જ્યારે બીજી મેચમાં આ ક્રિકેટર ફ્લોપ રહ્યો હતો. એક દિવસ તે તોફાની ઈનિંગ્સ રમે છે તો બીજા દિવસે તે કંઈક એવું કરે છે જેનાથી બધા ચોંકી જાય છે.

ઋષભ પંતના આ ખરાબ પ્રદર્શન બાદ ODI ટીમમાં તેના સ્થાન પર તલવાર લટકી રહી છે. હાલમાં ઋષભ પંતના સ્થાને ODI ટીમમાં 2 વિકેટકીપર સામેલ થઈ શકે છે.

જો રાહુલ ODI ટીમમાં વિકેટકીપિંગ કરશે તો રિષભ પંતની જગ્યાએ એક વધારાના ઓલરાઉન્ડરને તક આપવામાં આવી શકે છે, જે ટીમ ઈન્ડિયાને વધુ સંતુલન આપશે. કેએલ રાહુલે વનડેમાં ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપિંગમાં અજાયબીઓ કરી છે. જો KL રાહુલ ODI ટીમમાં વિકેટકીપર તરીકે સેટલ થાય છે તો રિષભ પંતની રજા ફિક્સ છે.

ટીમ ઈન્ડિયામાં રાહુલને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ઘણી સફળતા મળી, જેના કારણે તેને આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમની કેપ્ટનશિપ કર્યા બાદ લખનૌ ટીમનો કેપ્ટન બનવાનો મોકો મળ્યો.

કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે રાખવાની સફળ ફોર્મ્યુલા બાદ ઋષભ પંત માટે ODIનો રસ્તો મુશ્કેલ બની શકે છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા ઋષભ પંતને વારંવાર તક આપવામાં આવી હતી, પરંતુ પંતે વિકેટકીપિંગ અને બેટિંગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

ડાબોડી યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને રિષભ પંત કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે. ઋષભ પંતના આ ખરાબ પ્રદર્શન બાદ ODI ટીમમાં તેના સ્થાન પર તલવાર લટકી રહી છે. ઈશાન કિશન ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે હાજર છે.

IPLમાં મોટું નામ ધરાવતા આ બેટ્સમેને ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. ઈશાન કિશને આઈપીએલની 61 મેચોમાં 1452 રન બનાવ્યા છે, જેમાં તેણે 9 અડધી સદી પણ ફટકારી છે.

ઈશાન ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 3 ODI અને 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આ પહેલા તેણે 46 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2805 રન બનાવ્યા છે.

આ દરમિયાન ઈશાનના બેટમાં 5 સદી અને 16 અડધી સદી છે. તેણે લિસ્ટ Aની 76 મેચમાં 2609 રન બનાવ્યા છે. આમાં ઈશાને 4 સદી અને 13 અડધી સદી ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed