સુરતમાં કોરોના મહામારી વચ્ચે યોજાયા વાછરડાના લગ્ન, 10 હજારથી પણ વધુ લોકો રહ્યા હાજર
સુરતના લાડવી ગામમાં મકરસંક્રાંતિ નિમિત્તે ત્યાંની એક ગૌશાળામાં વાછરડી અને વાછરડાના લગ્ન યોજાયા હતા. કોરોના ગાઇડલાઇનને જોતા લગ્ન જેવા કાર્યક્રમોમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકશે. પરંતુ આ લગ્નમાં 10 હજાર લોકોએ હાજરી આપી હતી. લગ્નમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી લોકો આવ્યા હતા.
સ્વયંસેવક અને પ્રોપર્ટી બ્રોકર વિનોદ સારસ્વતે જણાવ્યું હતું કે, “શુક્રવારે દિવસ દરમિયાન 10,000 થી વધુ લોકો મંદિરમાં પહોંચ્યા હતા અને લગ્નમાં હાજરી આપી હતી. 10,000 લોકો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને બધાએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. નર વાછરડું શંખેશ્વર અને વાછર ચંદ્રમૌલીના લગ્ન યોજાયા હતા.
લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં ભવ્ય લગ્ન થયા હતા. મહારાજના સ્વપ્નને સાકાર કરવા માટે આયોજિત કાર્યક્રમમાં આખો મંડપ ભરાઈ ગયો હતો, જ્યાં કન્યાને ગાંધારી આશ્રમ ગૌશાળામાંથી લાડવી લાવવામાં આવી હતી.
આયોજકોએ જણાવ્યું કે અમારું સપનું સાકાર થયું જે ગાંધારી આશ્રમના પીપલદગીરી મહારાજે જોયું હતુ. અને તેઓ ગોપાલન વિશે લોકોને જાગૃત કરવા માગતા હતા.પિપલાદગીરી મહારાજે લગ્નનું આયોજન કરવાનું સપનું જોયું.
આયોજકોમાંના એક જયંતિ માલાણીએ જણાવ્યું હતું કે, પિપલાદગીરી મહારાજે લગ્નનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને તેઓ ઈચ્છતા હતા કે તમામ ગૌશાળાઓ ગાયના ઉછેર અને તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે. તમામ પરંપરાગત લગ્નો વચ્ચે કન્યા વાછરડાને સ્થળ પર લાવવામાં આવી હતી.
માલાણીએ જણાવ્યું હતું કે લગ્ન પછી નવવધૂએ ખાવાનું બંધ કરી દીધું હતું અને તેથી તેના સાસરિયાંને દિલાસો આપવા વાછરડાની માતાને પણ થોડા દિવસો માટે લાડવી પાસે લાવવામાં આવી હતી.
કેટલાક મહેમાનો દ્વારા લગ્નની ભેટ તરીકે ચાંદીની પાયલ, માથાનો ટીકો અને કમરનો પટ્ટો આપવામાં આવ્યો હતો. SONMT શેડ લગભગ 3,000 પશુઓનું ઘર છે. આ ટ્રસ્ટ રાજ્યભરમાં ચાર ગૌશાળા ચલાવે છે જેમાં તેની પાસે 5,000 પશુઓ છે.