કોરોનાનો ખતરો વધતા હાલ લોકડાઉન તો ટળ્યું પણ લાગી ગયા છે સખત નિયમો-જાણો
યુપી સરકારે સવારના 10થી સવારના 6 સુધી તથા બિહારમાં રાતના 10થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં મળેલી ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે.
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે હાલ પુરતું લોકડાઉન લાગુ પાડવાનું ટાળ્યું છે. રાત્રે 8 વાગ્યે દુકાનો બંધ કરવાની રહેશે.
દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી જ ખોલી શકાશે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહીં. ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે યોજાનાર જનતા દરબારને 21 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધો છે.
6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી આટલા કલાકો સુધી નાઇટ કર્ફ્યુ, મંદિર-સિનેમા હોલ પણ બંધ.બિહારમાં 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવશે.
સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા હાજરીથી જ કામ થઈ શકે છે. 6 થી 21 જાન્યુઆરી સુધી ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે, મંદિરોમાં માત્ર પૂજારી જ પૂજા કરી શકશે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. રેસ્ટોરન્ટ અને ઢાબામાં માત્ર 50 ટકા લોકોને જ બેસાડવાનો આદેશ.