ધોની બાદ સુરેશ રૈના પણ પહોંચ્યો ચેન્નઇ, જાણો ક્યારે યુએઇ રવાના થશે CSK
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના વિશ્વસનીય બેટ્સમેન સુરેશ રૈના આઈપીએલ 2021 ના બીજા તબક્કાની તૈયારીઓ માટે મંગળવારે ચેન્નઈ પહોંચ્યા છે.
રૈના પહેલા ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ અહીં પહોંચી ગયો છે. ટીમના ખેલાડીઓ હવે યુએઈ જવા રવાના થશે, જ્યાં ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકી સીઝનનું આયોજન કરવામાં આવનાર છે.
ટીમના સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું છે કે ટીમના ભારતીય ખેલાડીઓ 13 ઓગસ્ટે યુએઈ જવા રવાના થાય તેવી શક્યતા છે.
તેમણે કહ્યું કે CSK ના ખેલાડીઓ યુએઈ માટે રવાના થાય તે પહેલા ચેન્નઈમાં કોઈ શિબિર નહીં હોય. ફ્રેન્ચાઇઝીઓને જારી કરાયેલા બાયો સિક્યોર બબલ પ્રોટોકોલ મુજબ, યુએઇ, દુબઇ અથવા અબુ ધાબી જતા પહેલા ભારતમાં પોતાને અલગ રાખવાની જરૂર નથી,