ગુજરાતમાં પાટીદાર CM મુદ્દે અલ્પેશ કથીરિયાએ આપ્યું મોટું નિવેદન-જાણીને ચોંકી જશો

0

ગુજરાતમાં પાટીદાર CM મુદ્દે અલ્પેશ કથીરિયાએ આપ્યું મોટું નિવેદન-જાણીને ચોંકી જશો,અલ્પેશ કથિરીયાએ ગુજરાતમાં પાટીદાર CM અંગે નિવેદન આપ્યું કે, તમામ સમાજની લાગણી હોય છે કે, તેમના સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બનવો જોઈએ.

પરંતુ હું માનું છું કે, ગુજરાતની ગાદી પર ઈમાનદાર અને સૌને ન્યાય આપી શકે. તેવા પ્રકારના મુખ્યમંત્રી હોવા જોઈએ. તો આમ આદમી પાર્ટી વિશે નરેશ પટેલની પ્રશંસા અંગે કથિરીયાએ કહ્યું કે, તમામ પાર્ટી ગુજરાત માટે પોતાના વિઝન ક્લિયર કરશે.

મારા માટે લડત કરનારા તમામ લોકો, પરિવાર અને વકીલ ટીમનો આભારી છું. પાસને લઈ આગામી રણનીતિ અંગે પણ અલ્પેશે કહ્યું કે, જે યુવાનો પર આંદોલન વખતે કેસ થયા તેમને મુક્ત કરવાની અમારી માગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed