કરીના સાથે રિતિકના અંગત સંબંધોને સાથે થયા હતા છૂટાછેડા? સેટ પર બંને એકલા હોઈ ત્યારે તો…
કરીના સાથે રિતિકના અંગત સંબંધોને સાથે થયા હતા છૂટાછેડા? સેટ પર બંને એકલા હોઈ ત્યારે તો,ઋત્વિકની ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ હિટ થયા પછી ઋત્વિક રોશને એક્ટ્રેસ કરીના કપૂર સાથે બે ફિલ્મો સાઈન કરી હતી.
ફિલ્મના સેટ પર બન્ને વચ્ચે દોસ્તી થઈ અને બન્ને એકબીજાની નજીક આવ્યાં. ઋત્વિક અને સુઝેને લગ્નનાં 17 વર્ષ પછી છૂટાછેડા લીધા. જોકે, જ્યાં સુધી તેઓ સાથે રહેતા હતા, ત્યાં સુધી તેઓ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા.પરંતુ તેમ છતાં તેમનો સંબંધ લાંબો ટકી ન શક્યો. છૂટાછેડા પછી ઘણા ઘટસ્ફોટ થયા હતા. એક્ટર અર્જુન રામપાલને ઋત્વિક-સુઝેનનાં સંબંધોમાં થયેલા અણબનાવ માટે જવાબદાર માનવામાં આવ્યો હતો.
આટલું જ નહીં બેબો એટલે કે કરીના કપૂરને પણ આ સંબંધ તૂટવાનું કારણ માનવામાં આવતું હતું. રિપોર્ટ્સ અનુસાર, કરીનાના કારણે ઋત્વિક અને સુઝેનનાં લગ્ન પહેલા જ તેમની પ્રેમકથામાં ખટાશ આવી ગઈ હતી.ઋત્વિકની ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ હિટ બન્યા પછી તેણે સ્ટાર એક્ટ્રેસ કરીના કપૂર સાથે બે ફિલ્મો સાઈન કરી. એવું કહેવામાં આવે છે કે આ સમયે ઋત્વિક અને કરીના વચ્ચે પ્રેમ ખીલ્યો હતો અને સમાચારોમાં પણ તેમના પ્રેમની ચર્ચા છપાઈ ગઈ હતી. ઋત્વિકના અફેરની વાતો સાંભળી સુઝેન ઋત્વિકથી રિસાઈ ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે ઋત્વિકના પિતા રાકેશ રોશને ઋત્વિકને કરીના સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.
20 ડિસેમ્બર 2000નાં રોજ, રાકેશ રોશને સુઝેન અને રીતિકના લગ્નની તારીખ નક્કી કરી. બંનેનાં લગ્ન થયાં. જોકે, ફિલ્મના સેટ પર ઋતિક રોશન અને કરીના કપૂર બન્ને એકલાં હોય ત્યારે તેમના વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી.