ભાજપ નિષ્ફળ રહી તેથી પોતાની આ ટીમને ગુજરાતમાં ઉતારી, જાણો

0

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મોટું એલાન કરતાં કહ્યું છે કે બધી જ બેઠકો પર આપ ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે અને ભાજપને જ ફાયદો કરાવવા માટે આપની એન્ટ્રી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પોતે નિષ્ફળ રહેતા હવે તેમની બી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ ટ્વિટ કરીને કહ્યું કે જે ગુજરાતમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા ભાજપનો વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા કઈ રીતે બની શકશે? વિકલ્પ કોંગ્રેસ જ છે અને કોંગ્રેસ જ રહેવાનો છે.

કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે. ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી.

આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed