પાણીના કુંડમાં નાહવા ગયેલા 3 યુવાનોના મોત, એમાંથી એકની તો લગ્નની તૈયારી ચાલતી હતી- ઓમ શાંતિ
સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતા યુવાનોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી.આડેસરના ત્રણ આશાસ્પદ યુવાનોના ડૂબવાથી કરુણ મોત નીપજતા ભારે ગમગીની વ્યાપી હતી, જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર હાલ રાપર તાલુકાના આડેસર ગામમાં આંશિક લોકડાઉનના કારણે મન હળવું કરવા આડેસરમાં રહેતા 20થી 25 વર્ષની ઉંમરના આલાભાઈ ભચાભાઈ આહીર, અરજણભાઈ રાયમલભાઈ આહીર અને મેરાભાઈ રબારી નામના યુવાનો સણવા ગામની નજીક આવેલા ઐતિહાસિક નાગતર ગામના શંકર ભગવાનના મંદિર નજીક આવેલા કુંડમાં ન્હાવા પડ્યા હતાં.
પરંતુ આ કુંડમાં પાણી સાથે ખૂબ જ કીચડ ભરેલું હોવાથી યુવાનો ન્હાવા પડતાની સાથે જ કીચડમાં ખૂંચી ગયા હતા.જેથી આ યુવાનો સાથે આવેલા અન્ય યુવાનોએ રાડારાડ કરી મૂકી હતી અને ખૂંચી ગયેલા યુવાનોને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત યુવાનોની ચીસો સાંભળી નજીક આવેલા ગ્રામજનો અને ખેડૂતોએ પણ દોડ મૂકી હતી અને યુવાનોને કીચડ માંથી બહાર કાઢ્યા હતાં. જે બાદ યુવાનોને આડેસર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડૉકટરે ત્રણેય યુવાનોને મૃત જાહેર કર્યા હતાં.ઘટના સંદર્ભે આડેસર પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.હતભાગી ત્રણ પૈકીનો એક યુવાન પરણિત હતો અને એકના લગ્નની તૈયારી હતી.ઉપરાંત ત્રણ યુવાનો પૈકીના બે યુવાનો તો એન્જીનીયરીંગ કરેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું અને આડેસરમાં જયારે પણ કંઈક આયોજન કે મુસીબત હોય ત્યારે ખડેપગે આ યુવાનો હાજર રહેતા હોવાથી વાગડ પંથકમાં ગમગીની છવાઈ હતી.આડેસર રહેતાં આલાભાઈ આહીર, અરજણ ભાઈ આહીર અને મેરાભાઈ રબારી નામના ત્રણ યુવાનો કુંડ અંદર ગાળો વધારે હોવાથી ખુંચી ગયાં હતાં.
યુવાનોને આડેસર હોસ્પિટલ ખાતે લવાયા હતાં જ્યાં હાજર ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છેં કે મૃતક ત્રણેય યુવાનોમાં એક પરણિત હતો અને એક ના લગ્નની તૈયારી ચાલતી હતી. તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવાર જનોમાં ભારે ગમગની વ્યાપી ગઈ છે. તો બે યુવાનો ઇન્જીનીરિંગ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું.આડેસર માં જયારે પણ કંઈક આયોજન કે મુસીબત હોય ત્યારે ખડે પગે યુવાનો રહેતાં હતાં એવું દિપુભા જાડેજાએ જણાવ્યું હતું.વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અવર-નવર કેનાલ અથવા તળાવમાં ડૂબી જવાના બનાવો બનતા આવ્યા છે અને આવા બનાવો થકી આશાસ્પદ યુવાનોના મૃત્યુ પણ થયા છે.